Home Politics કોરોના પર કાબુ મેળવવા કોંગ્રેસે કંઇક આવા નિર્ણય લેવા જણાવ્યું ,જાણો તેના...

કોરોના પર કાબુ મેળવવા કોંગ્રેસે કંઇક આવા નિર્ણય લેવા જણાવ્યું ,જાણો તેના વિશે

Face of Nation 21-01-2022 :ગુજરાતમાં દિવસે ને દિવસે વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રીજી લહેરમાં પહેલીવાર 24 હજાર 485 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ 25 હજાર જેટલા રાજ્યમાં અને 10 હજાર જેટલા કેસ અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓના મોત થયા છે. આવા સમયે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો છે કે કોરોનાની મહામારીમાં સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી. ત્રીજી લહેરમાં મોત નો આંકડો વધુ નથી પરંતુ હવે બે આંકડામાં મોત નોંધાઈ રહ્યાં છે. હવે ત્રીજી લહેરની ચેઈન તોડવી પડે તેમ છે. આ માટે સરકાર જો પાંચ દિવસની રજા જાહેર કરીને કડક નિયંત્રણો લાવે તો ત્રીજી લહેરની ચેઈન તોડી શકાય તેમ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).