Home Uncategorized રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 19 કેસ, શનિવારે 6,01,720 વ્યક્તિઓનું રસીકરણ

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 19 કેસ, શનિવારે 6,01,720 વ્યક્તિઓનું રસીકરણ

Face Of Nation, 07-08-2021: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19 કેસ નોંધાયા છે. જેની સામે 27 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10077 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યાર સુધીમાં 3,61,96,017 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. આજે કુલ 6,01,720 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 4, સુરતમાં 4, વડોદરામાં 5, અમરેલીમાં 2, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, રાજકોટમાં 1-1 સહિત કુલ 19 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. બીજી તરફ અમદાવાદમાં 4, સુરતમાં 7, વડોદરામાં 2, દાહોદમાં 4, જૂનાગઢમાં 3, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, મોરબી, કચ્છ, અમેરલીમાં 1-1 સહિત કુલ 27 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)