Home News સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રજાજનોને શું સંદેશો આપ્યો,...

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રજાજનોને શું સંદેશો આપ્યો, જાણીએ અહીં ક્લિક કરી

Face Of Nation, 14-08-2021: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દેશ-વિદેશમાં રહેતા તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ દિવસ આપણા બધા માટે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસનો દિવસ છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસનું ખાસ મહત્વ છે કારણ કે આ વર્ષે આપણે બધા આઝાદીની 75મી વર્ષગાંઠ તરીકે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ.

રાષ્ટ્રપતિએ કહ્યું, “સ્વતંત્રતા સેનાનિઓના સંઘર્ષથી આપણી આઝાદીનું સપનુ સાકાર થયું છે. તે બધાના ત્યાગ અને બલિદાનના અલગ ઉદાહરણ પ્રસ્તુત કર્યા છે. હું એ તમામ અમર સેનાનીઓની પાવન સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક નમન કરુ છું.”

ઓલિમ્પિક રમતોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, હાલમાં જ આપણા ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરી દેશનો ગૌરવ વધાર્યું છે.  હું દરેક માતાપિતાને વિનંતી કરું છું કે તેઓ આશાસ્પદ પુત્રીઓના પરિવારો પાસેથી શિક્ષણ લે અને તેમની પુત્રીઓને વિકાસની તકો પૂરી પાડે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવો