Home News પૂર્વ CM કલ્યાણ સિંહના અંતિમ દર્શન કરવા પહોંચ્યા PM મોદી, પાઠવી અશ્રુભીની...

પૂર્વ CM કલ્યાણ સિંહના અંતિમ દર્શન કરવા પહોંચ્યા PM મોદી, પાઠવી અશ્રુભીની શ્રદ્ધાંજલિ

Face Of Nation, 22-08-2021: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનું 89 વર્ષની ઉંમરે લાંબી માંદગી બાદ નિધન થયું છે અને આજે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવ્યું છે અને આવતી કાલે વતન અલીગઢમાં તેમના અંતિમ સંસ્કાર થશે. કલ્યાણસિંહના નિધનને લઈને ગત રાત્રે યોગી સરકારની કેબિનેટ બેઠક યોજાઇ. જેમાં કલ્યાણસિંહના નિધન પર શોક પ્રસ્તાવ પસાર થયો અને ઉત્તરપ્રદેશમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા કલ્યાણ સિંહના અંતિમ દર્શન કરવા તેઓના ઘરે પહોંચ્યા હતાં. જ્યાં બંને જણાએ નિવાસસ્થાને પહોંચીને પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી

વડાપ્રધાન મોદી તેમના પાર્થિવ દેહને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા લખનઉ એરપોર્ટ પહોંચી ચૂક્યાં છે. જ્યાં તેમનું CM યોગીએ સ્વાગત કર્યું હતું. થોડી જ વારમાં કલ્યાણ સિંહના ઘરે જઇને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવશે (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)