Home News રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 કેસ, રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 કેસ, રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચ્યો

Face Of Nation, 26-08-2021:  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16 નવા કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યું થયું નથી. આ દરમિયાન 18 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચી ગયો છે. તો રાજ્યના 26 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. નવા કેસ સાથે રાજ્યમાં કુલ કોરોના કેસની સંખ્યા 8 લાખ 25 હજાર 363 પર પહોંચી ગઈ છે. તો રાજ્યમાં અત્યાર સુધી 10 હજાર 80 લોકોના કોરોનાને લીધે નિધન થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 815126 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ત્રણ કેસ સામે આવ્યા છે. દાહોદમાં પણ ત્રણ કેસ નોંધાયા છે. આ સિવાય વડોદરા શહેરમાં ત્રણ, કચ્છમાં બે, સુરત જિલ્લામાં ત્રણ, ગાંધીનગરમાં 1 અને રાજકોટમાં એક કેસ નોંધાયો છે. તો 26 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી.

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 157 છે. જેમાં ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધી 10038 લોકોના મૃત્યુ થયા છે. રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચી ગયો છે. આમ ગુજરાત હવે કોરોના સામે જંગ જીતી રહ્યું છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)