Home Uncategorized કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો, 24 કલાકમાં આટલા લોકોના જીવ ગયા

કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો, 24 કલાકમાં આટલા લોકોના જીવ ગયા

Face Of  Nation, 06-09-2021:  કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં વાયરસના 38 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસથી સતત 40 હજારથી વધુ નવા કેસ નોંધાતા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રલાયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,948 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 3,30,27,621 પર પહોંચી ગયો છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 42,766 નવા કેસ નોંધાયા હતા. હાલ દેશમાં કોરોનાના 4,04,874 દર્દીઓ સારવાર હેઠળ છે.

સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 219 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 4,40,752 પર પહોંચી ગયો છે. જો કે એક દિવસમાં 43,903 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ પણ થયા. અત્યાર સુધીમાં દેશમાં કુલ 3,21,81,995 દર્દીઓ રિકવર થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)