Home News ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા સરકારની વિચારણા : શિક્ષણમંત્રી...

ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા સરકારની વિચારણા : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

Face Of Nation, 06-09-2021: રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આજે સવારે કેવડિયા ખાતે આવેલા શૂલપાણેશ્વર મહાદેવની પૂજા કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા કર્યા બાદ જણાવ્યું હતું કે ધો-6થી 8 બાદ હવે ધો-1થી 5ની શાળાઓ શરૂ કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્કૂલો શરૂ કરવા અંગે જણાવ્યું હતું કે પહેલા કોલેજ, પછી 10થી 12 અને ગયા અઠવાડિયાથી 6થી 8ના વર્ગો તબક્કાવાર ખોલવામાં આવ્યા હતા એમાં અમે સફળ રહ્યા છીએ.

વાલીઓએ બાળકોને સ્કૂલોમાં મોકલ્યાં છે અને તેઓ પણ સ્કૂલોમાં ઉત્સાહથી આવ્યાં છે અને શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક ભણાવી રહ્યા છે. આ સંજોગોમાં હવે ધો-1થી 5ની શાળાઓ શરૂ કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ લઇને કોર કમિટીમાં અમે એનો નિર્ણય લઇશું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે મે ભગવાનને એ પણ પ્રાર્થના કરી છે કે નર્મદા ડેમ ભરાઇ જાય અને સરકારનું આયોજન છે કે પીવાના પાણીની તકલીફ ઊભી ન થવી જોઇએ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વારંવાર કહ્યું હતું કે પીવાના પાણીનો પૂરતો જથ્થો રાખવામાં આવ્યો છે. આવતા વર્ષ સુધી પીવાની પાણીની કોઇ તકલીફ ઊભી નહીં થાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)