Home Uncategorized ભારતીય વાયુસેના વધુ બનશે શક્તિશાળી, કેન્દ્રની મોદી સરકારે 56 C-295 MW વિમાન...

ભારતીય વાયુસેના વધુ બનશે શક્તિશાળી, કેન્દ્રની મોદી સરકારે 56 C-295 MW વિમાન ખરીદવાને આપી મંજૂરી

Face Of Nation, 09-09-2021: ભારતીય વાયુસેનાને વધુ મજબૂત કરવાની દિશામાં કેન્દ્ર સરકાર તરફથી સતત પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે સુરક્ષા મામલાની સમિતિ એ બુધવારે ભારતીય વાયુસેના માટે 56 સી-295 એમડબ્લ્યૂ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી દીધી છે.

આ એવા પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં ભારતની અંદર પ્રાઇવેટ કંપની તરફથી સૈન્ય એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું કે, બધા 56 વિમાનોને સ્વદેશી ઇલેક્ટ્રોનિક વાયફેયર સૂટ ની સાથે તૈયાર કરવામાં આવશે. ભારતમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે. જેમાં એક ખાનગી કંપની દેશની વાયુસેના માટે લશ્કરી વિમાનો બનાવશે. આ તમામ 56 વિમાનો હાઇટેક ઇલેક્ટ્રોનિક વોરફેર સાધનોથી સજ્જ હશે. જેથી તેઓ યુદ્ધના મેદાનમાં સૈનિકોને કોઈપણ સમસ્યા વિના મદદ કરી શકે(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)