Home Politics શપથવિધિ પહેલા શંકરસિંહ વાઘેલાના ટ્વિટથી અનેક તર્ક-વિતર્ક, જાણો

શપથવિધિ પહેલા શંકરસિંહ વાઘેલાના ટ્વિટથી અનેક તર્ક-વિતર્ક, જાણો

Face Of Nation, 16-09-2021: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ પહેલા ટ્વિટર પર ટ્વીટ ચર્ચાનો વિષય બન્યો છે.ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળના શપથ પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર પર ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, આજની રાજનીતિ મહાભારતથી ઓછી નથી. પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આંચ આવે તો પોતાના જ પરિવારના કૌરવો સાથે લડવું જ સાચો ધર્મ અને કર્મ છે. આ ધર્મ યુદ્ધ માત્ર સ્વાભિમાનની રક્ષા માટે નથી, પરંતુ સમગ્ર પ્રદેશના કલ્યાણ માટે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આવશે ત્યારે ‘અર્જુન’ને નિસંકોચ યુદ્ધ કરવું પડશે.નવા મંત્રીમંડળ માટે ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા છે.

નવા પ્રધાનમંડળમાં પાટીદારોનો દબદબો જોવા મળ્યો છે. પ્રધાનમંડળમાં આશરે આઠ ધારાસભ્યો, બે ક્ષત્રિય, 6 ઓબીસી, ત્રણ એસટી, બે એસસી અને એક જૈન ધારાસભ્યનો સમાવેશ થયો. નવા પ્રધાનમંડળમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ધારાસભ્યોને સ્થાન મળ્યું છે. સૌથી મોટો અન્યા આહીરોને થયો છે. આહીર સમાજના 2 મંત્રીઓ વાસણભાઈ આહીર અને જવાહરભાઈ ચાવડાનું પત્તું કપાઈ ગયું છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)