Home News અમદાવાદ એરપોર્ટનો રન-વે આટલા દિવસો સુધી રહેશે બંધ…જાણો કેમ

અમદાવાદ એરપોર્ટનો રન-વે આટલા દિવસો સુધી રહેશે બંધ…જાણો કેમ

Face Of Nation, 16-09-2021:  અમદાવાદ એરપોર્ટને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 10 નવેમ્બરથી 31મી મે સુધી સવારે 9થી સાંજના 6 કલાક સુધી એરપોર્ટના રનવે બંધ રહેશે. ઇન્ટરનેશનલ એરપોર્ટનો 3.6 કિલોમીટર લાંબો રન-વે નવેસરથી બનાવવામાં આવવાતો હોઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન રન-વે સંપૂર્ણ બંધ રહેશે.

રન-વે સંપૂર્ણ બંધ રાખવાને કારણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી 70 ફ્લાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં કેટલીક ફ્લાઇટોનો સમય સવારે નવ વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ કરવામાં આવશે. આ સિવાય કેટલીક ફ્લાઈકને વડોદરા કે રાજકોટમાં ડાયવર્ટ કરવામાં આવશે.

નોંધનીય છે કે, પાંચ વર્ષ પહેલા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદ એરપોર્ટના રન-વેનું કરોડના ખર્ચે રિસર્ફેસીંગ કર્યું હતું. પરંતુ ચોમાસામાં રન-વે તૂટવાની સાથે ફ્લાઇટોના ટાયર સાથે થતા ઘર્ષણના કારણે રેડ તૂટી જતા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી.હાલમાં અમદાવાદ એરપોર્ટ પર દરરજો 180થી વધારે ફ્લાઈટનું સંચાલન થાય છે. જેમાં 20,000 જેટલા પેસેન્જરોની અવરજવર અત્યારે એરપોર્ટ પર છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)