Home Uncategorized ભારતથી કેનેડા વચ્ચેની સીધી ફ્લાઈટની શરૂઆત, વાંચો, પેસેન્જરોએ આટલી શરતોનું પાલન કરવું...

ભારતથી કેનેડા વચ્ચેની સીધી ફ્લાઈટની શરૂઆત, વાંચો, પેસેન્જરોએ આટલી શરતોનું પાલન કરવું પડશે

Face Of Nation, 21-09-2021 : આખરે પાંચ મહિના પછી ભારત અને કેનેડા વચ્ચે સીધી ફ્લાઈટની શરૂઆત કરવામાં આવી છે. કેનેડાએ નવા પ્રોટોકોલ સાથે દિલ્હી-ટોરોન્ટો નોનસ્ટોપ ફ્લાઈટ્સ ફરી શરૂ કરી દીધી છે. જેમાં WHO દ્વારા અપ્રુવ્ડ રસી પ્રાપ્ત મુસાફરોએ આરટી-પીસીઆર અથવા રેપિડ પીસીઆર ટેસ્ટ પેસેન્જરે કોવિડ-19 ટેસ્ટિંગ સેન્ટર અને દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3ની લોન્જથી પોતાની ફ્લાઈટ્સમાં બેસતી વખતે કરાવવાનો રહેશે.
એર કેનેડાએ પોતાની સાઈટ પર ‘ટેસ્ટિંગ રિક્વાયરમેન્ટ્સ ફોર ફ્લાઈટ્સ ફ્રોમ ઈન્ડિયા’ અંતર્ગત લખ્યું છે કે, “એર કેનેડા માટે આ સ્પેસિફિક ટેસ્ટ્સમાંથી જ ટેસ્ટ સ્વીકાર્ય ગણાશે, ભારતમાંના કોઈ ક્લિનિકમાં કરાવેલા ટેસ્ટ જો તમે અન્ય કોઈ શહેરથી કનેક્ટ થઈ રહ્યા હો તો પણ માન્ય ગણાશે નહીં. કેનેડા જવાની શિડ્યુલ્ડ ડિપાર્ચર ફ્લાઈટ અગાઉ 14થી 180 દિવસની વચ્ચે પ્રમાણિત પોઝિટિવ પીસીઆર ટેસ્ટ રિઝલ્ટ પુરાવા તરીકે આપો તો મુસાફરી કરવાને યોગ્ય બની શકાશે.
ત્રીજા દેશમાંથી નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટની આવશ્યક્તા હવે સમાપ્ત કરવામાં આવી છે. સીધી ફ્લાઈટ્સની સેવા ફરી શરૂ થવાની સાથે પ્રથમ ફ્લાઈટ AC 42 (ટોરોન્ટો-દિલ્હી) સોમવારે રાત્રે 9 વાગ્યા આસપાસ ગંતવ્યસ્થાને લેન્ડ થશે. એર ઈન્ડિયા દિલ્હી-વાનકુવર અને દિલ્હી-ટોરોન્ટો નોનસ્ટોપ ફ્લાઈટ્સ ટૂંક સમયમાં જ શરૂ કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)