Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં વઘારો થયો કે ઘટાડો જાણવા કરો...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં વઘારો થયો કે ઘટાડો જાણવા કરો ક્લિક અહીં

Face Of Nation, 23-09-2021:  ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 31 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 282 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોનાના કેસમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. ગઈ કાલ કરતા કોરોનાના કેસમાં 18.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. હાલ કોરોનાથી રિકવરી રેટ 98.22 ટકા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 31,923 દર્દીઓ નોંધાયા છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 26,964 નવા કેસ નોંધાયા હતા. હાલ દેશમાં કોરોનાના 3,01,604  દર્દીઓ સારવાર હેઠળ છે. આ આંકડો છેલ્લા 187 દિવસમાં સૌથી ઓછો આંકડો છે. એક દિવસમાં કોરોનાથી 31,990 દર્દીઓ રિકવર થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો 3,28,15,731 પર પહોંચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં 282 દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 282 થઈ ગયો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)