Home Uncategorized કેન્દ્ર સરકાર 2 ઓક્ટોબર સુધીમાં ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર નહીં કરે તો…જાણીતા...

કેન્દ્ર સરકાર 2 ઓક્ટોબર સુધીમાં ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર નહીં કરે તો…જાણીતા સંતની મોદી સરકારને ધમકી

Face Of Nation, 29-09-2021: જગતગુરુ પરમહંસ આચાર્યે જણાવ્યું કે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની રાષ્ટ્રીયતા ખતમ કરી નાખવી જોઈએ. તેમણે કહ્યું કે હું માગ કરું છું કે ભારતને 2 ઓકટોબર સુધીમાં હિંદુ રાષ્ટ્ર જાહેર કરો નહીંતર હું સરયુ નદીમાં જળસમાધિ લઈ લઈશ.

અયોધ્યાના તપસ્વી છાવણીના જગતગુરુ પરમહંસે કેન્દ્ર સરકાર પાસે બીજી પણ વિવાદાસ્પદ માગ કરી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે મુસ્લિમો અને ખ્રિસ્તીઓની રાષ્ટ્રીયતા ખતમ કરી નાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે 1 ઓક્ટોબર હિંદુ સંગઠનોએ પરમહંસના સમર્થનમાં હિંદુ સનાતન ધર્મ સંસદનું આયોજન કરવાનું એલાન કર્યું છે.

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી જમીન પર પ્રશ્નો ઉભા થયા હતા. તાપસી છાવણીના જગતગુરુ પરમહંસે આરોપો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે સંજય સિંહ અને પવન પાંડેના રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે જે લોકો તુષ્ટિકરણની રાજનીતિ કરે છે તેઓ ક્યારેય રામને ઓળખશે નહીં. આ આક્ષેપો માત્ર મુસ્લિમોના મતો માટે કરવામાં આવી રહ્યા છે. જો ટ્રસ્ટ સામેના આરોપો ખોટા છે, તો હું સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી પર 1000 કરોડનો માનહાનિનો કેસ દાખલ કરીશ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)