Home News અમદાવાદીઓ માટે ખાસ સમાચાર, 17 દિવસ અવર-જવર માટે બંધ રહેશે આ ચાર...

અમદાવાદીઓ માટે ખાસ સમાચાર, 17 દિવસ અવર-જવર માટે બંધ રહેશે આ ચાર રસ્તા

Face Of Nation, 30-09-2021: અમદાવાદમાં રહેતા લોકો માટે મોટા સમાચાર છે. અમદાવાદ શહેરમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત 30 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી એટલે કે 17 દિવસ સુધી જીવરાજ ચાર રસ્તા એટલે કે જીવરાજ ચાર રસ્તાના મધ્યભાગમાં બેરીકેડીંગ કરી જીવરાજ હોસ્પિટલ વેજલપુર ગામ તરફ અવર-જવર માટે રસ્તો બંધ રહેશે. આ દરમિયાન કોઈપણ વાહન પણ અવર-જવર કરી શકશે નહીં.

જીવરાજ હોસ્પિટલ તરફથી આવી જીવરાજ ચાર રસ્તાથી સીધા વેજલપુર ગામ તરફ તથા જમણીબાજુ વળી શ્યામલ ચાર રસ્તા તરફ જતા વાહનોએ આગળના વળાંકથી યુ-ટર્ન લઈ જીવરાજ ચાર રસ્તાથી ડાબી બાજુ વેજલપુર ગામ તરફ તથા જીવરાજ ચાર રસ્તાથી સીધા શ્યામલ ચાર રસ્તા તરફ જવાનું રહેશે.

બીજા વૈકલ્પિક રૂટ તરીકે વેજલપુર ગામ તરફથી જીવરાજ હોસ્પિટલ તરફ તથા એપીએમસી માર્કેટ ચાર રસ્તા તરફ જતા વાહનોએ જીવરાજ ચાર રસ્તા મેટ્રો P73-P73 ના વચ્ચેના ભાગથી સીધા જીવરાજ હોસ્પિટલ તરફ તથા જમણી બાજુ વળી એપીએમસી ચાર રસ્તા તરફ જવાનું રહેશે. આ દરમિયાન ડાયવર્ઝનવાળો સમગ્ર રૂટ ‘નો-વ્હીકલ પાર્કિંગ’ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)