Home News દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં, દેશમાં હવે ફક્ત આટલા જ એક્ટિવ કેસ…જાણો...

દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં, દેશમાં હવે ફક્ત આટલા જ એક્ટિવ કેસ…જાણો લેટેસ્ટ અપડેટ

Face Of Nation, 03-10-2021:  દેશભરમાં કોરોના વાયરસના નવા 22 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે હવે દેશમાં એક્ટિવ કેસનો આંકડો પણ ઘટવા લાગ્યો છે. જે સારા સમચાર કહી શકાય. એક દિવસમાં કોરોનાથી 244 લોકોએ જીવ ગુમાવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં કોરોના વાયરસના નવા 22,842 દર્દીઓ નોંધાયા છે. એક દિવસમાં 25,930 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર પણ થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા હવે 3,30,94,529 થઈ ગઈ છે.

કોરોના પર સારા સમાચાર એ છે કે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટવા લાગી છે. હવે દેશમાં 2,70,557 દર્દીઓ જ સારવાર હેઠળ છે. આ આંકડો 199 દિવસનો સૌથી ઓછો આંકડો છે.

કોરોનાથી દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 244 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 4,48,817 થઈ ગયો છે. દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલે છે જે હેઠળ અત્યાર સુધીમાં કુલ 90,51,75,348 રસીના ડોઝ અપાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)