Home News અંબાજી જતા યાત્રીઓ માટે ખાસ સમાચાર, ચાચર ચોકમાં નહીં રમી શકો ગરબા

અંબાજી જતા યાત્રીઓ માટે ખાસ સમાચાર, ચાચર ચોકમાં નહીં રમી શકો ગરબા

Face Of Nation, 07-10-2021 ( રાકેશ શર્મા, અંબાજી ):  નવરાત્રિ મહોત્સવમાં વિશ્વ ભરમાં ગરબા રમાય છે. માં અંબાના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે આ વર્ષે પણ નવરાત્રિ ગરબા મહોત્સવ નહીં મનાવાય. હાલમાં કોરોનાની મહામારીના કારણે સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે અંબાજીમાં ચાચર ચોકમાં ગરબા રમી નહીં શકાય.

આજે 07 ઓકટોબરે માં અંબેનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસાન જોવા મળશે પણ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ જ રહેશે. જેથી શ્રધ્ધાળુઓ નવરાત્રિના દિવસોમાં માતાજીના દર્શનનો લાભ લઈ શકશે. આજે 07 ઓકટોબર ના ગુરુવારે નવરાત્રિના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના પણ કરાશે. નવરાત્રિ દરમ્યાન યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તેમાટે દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ઘટસ્થાપન આસો સુદ એકમના 07 ઓકટોબરના ગુરુવારના સવારે 10.30 કલાકે શરુ કરવામાં આવશે, જ્યારે 13 ઓક્ટોમ્બરે દુર્ગાષ્ટમીના રોજ સવારની આરતી 6.00 કલાકે અને જવારા ઉત્થાપન 11.10 કલાકે થશે. જ્યારે નવરાત્રિથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સવારે આરતી- 7.30 થી 8.00 કલાક
સવારે દર્શન- 8.00 થી 11.30 કલાક
બપોરે દર્શન- 12.30 થી 4.15 કલાક
સાંજે આરતી- 6.30 થી 7.00 કલાક
જ્યારે સાંજે દર્શન 7.00 થી રાત્રીના 9.00 કલાક

હાલમાં કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ સતત બીજા વર્ષે પણ મુલત્વી રાખવામાં આવ્યો છે પણ મંદિરમાં દર્શન આરતીનો લ્હાવો લઈ શકશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

બુઝુર્ગ ગામે 421 વર્ષ પહેલાં માતાજી પ્રગટ થયાં અને શિવાનંદ પંડ્યાએ “જય આદ્યા શક્તિ,..” આરતીનું લેખન કર્યું