Home News દેશમાં 24 કલાકમાં કોરોનાના આટલા નવા કેસો અને મોતના આંકડા નોંધાયા

દેશમાં 24 કલાકમાં કોરોનાના આટલા નવા કેસો અને મોતના આંકડા નોંધાયા

Face Of Nation, 12-10-2021: ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 18,132 નવા કેસીસ નોંધાયા હતાં, કે જે 215 દિવસમાં સૌથી ઓછા છે. પાછલા 24 કલાકમાં કોરોનાથી કુલ 193 લોકોનાં મૃત્યુ થયાં હતાં. પાછલા 24 કલાકમાં 21,563 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતાં, જે પછી કોરોનામાંથી સાજા થયેલાં લોકોની કુલ સંખ્યા 3,32,93,478 છે. હાલમાં રિકવરી રેટ 98 ટકા છે જે માર્ચ 2020 પછીનો સૌથી ઊંચો રેટ છે.

દેશમાં હાલમાં કુલ એક્ટિવ કેસીસ 2,27,347 છે કે, જે પાછલા 209 દિવસમાં સૌથી ઓછા છે. વીકલી પોઝિટિવિટી રેટ 1.53 ટકા છે જે 108 દિવસથી ત્રણ ટકાની નીચે જળવાયો છે. ડેઇલી પોઝિટિવિટી રેટ 1.75 ટકા છે જે પાછલા 42 દિવસથી ત્રણ ટકાની નીચે છે.    પાછલા 24 કલાકમાં 46,57,679 લોકોને વેક્સિન ડોઝ આપવામાં આવ્યો હતો, દેશમાં અત્યાર સુધીમાં કુલ 95,19,84,373 વેક્સિન ડોઝ અપાયા છે, તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડામાં જણાવાયું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)