Home News પૂર્વ IAS અધિકારી અમિત ખરે પ્રધાનમંત્રીના સલાહકાર નિયુક્ત કરાવામાં આવ્યા

પૂર્વ IAS અધિકારી અમિત ખરે પ્રધાનમંત્રીના સલાહકાર નિયુક્ત કરાવામાં આવ્યા

Face Of Nation, 12-10-2021:  1985 બેંચના IAS અધિકારી અમિત ખરેને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ કૉન્ટ્રાક્ટ પર કરવામાં આવી છે. તેઓ 30 સપ્ટેમ્બરના સચિવ ઉચ્ચ શિક્ષણના પદ પરથી નિવૃત થયા હતા.

અમિત ખરેએ પોતાની કુશળતા અને વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ સાથે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે ઉજ્જવલા યોજનામાં પણ યોગદાન આપ્યું. તેમણે ડિસેમ્બર 2019 માં ઉચ્ચ શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રાલયના સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો. તે પછીના ટૂંકા સમયમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને કેબિનેટ દ્વારા 29 જુલાઈ 2020 ના રોજ મંજૂરી આપવામાં આવી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)