Home News ઝાંસીમાં અકસ્માત, ટ્રેક્ટર ટ્રૉલી પલટવાથી 11 લોકોના મોત

ઝાંસીમાં અકસ્માત, ટ્રેક્ટર ટ્રૉલી પલટવાથી 11 લોકોના મોત

Face Of Nation, 15-10-2021:  ઉત્તર પ્રદેશનાં ઝાંસીમાં દશેરાના દિવસે મોટી દુર્ઘટના થઈ હોવાનું સામે આવી રહ્યું છે. અહીં એક ટ્રેક્ટર ટ્રૉલી બેકાબૂ થઈ અને પલટી ખાઈ જતાં ભીષણ સડક હાદસામાં 11 લોકોના મોત થયા છે. મૃતકોમાં સાત મહિલા અને ચાર બાળકો છે. આ સિવાય પણ અનેક લોકો ઘાયલ હોવાના સમાચાર છે. અત્યારે ઘટનાસ્થળ પર લોકોને બચાવવા માટેનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે ચીરગાંવ ક્ષેત્રમાં ભાંડેર રોડ પર ટ્રેક્ટર ટ્રૉલીમાં 32 લોકો સવાર હતા અને સામેથી પશુ આવી જતાં ટ્રેક્ટરે કાબૂ ગુમાવી દીધો અને ખેતરોમાં પલટી ખાઈ ગયું. સાત મહિલા અને ચાર બાળકો સહિત 11 લોકોએ ઘટના સ્થળ પર જ પોતાના જીવ ગુમાવી દીધા હતા. છ લોકો હજુ પણ ખૂબ ગંભીર રીતે ઘાયલ છે.

જાણકારી આંસુઆર તમામ લોકો દશેરાએ કોઈ ધાર્મિક સ્થળથી દર્શન કર્યા બાદ પરત આવી રહ્યા હતા. દુર્ઘટના બાદ લોકોએ ચીસો પાડી હતી અને આસપાસનાં લોકો બચાવવા માટે આવ્યા હતા. SP સિટી ત્રિપાઠી પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને રાહત બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)