Home Uncategorized પુલવામામાં TRFનો આતંકી ઠાર મરાયો, ભારતીય સેનાએ લીધો બદલો!

પુલવામામાં TRFનો આતંકી ઠાર મરાયો, ભારતીય સેનાએ લીધો બદલો!

Face Of Nation, 15-10-2021: જમ્મુ -કાશ્મીરના પુલવામામાં સેના અને પોલીસે આતંકીઓ સાથે એન્કાઉન્ટર શરૂ કર્યું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 1 આતંકીને ઠાર કર્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, વાહીબાગ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જમ્મુ -કાશ્મીર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને આ વિસ્તારમાં આતંકીઓના છુપાયેલા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સુરક્ષા દળો અને સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

https://twitter.com/ANI/status/1448982744571076614?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1448982744571076614%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Frevenge-taken-by-the-indian-army-trf-terrorist-shot-dead-in-pulwama

કાશ્મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 1 આતંકીને ઠાર કર્યો છે. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ શ્રીનગરના શાહિદ બશીર શેખ તરીકે થઈ છે. તે તાજેતરમાં 2જી ઓક્ટોબરના ​​રોજ એક નાગરિક (મોહમ્મદ સફી ડાર, PDD વિભાગનો સ્ટાફ)ની હત્યામાં સામેલ હતો. આતંકી પાસેથી એકે -47 રાઇફલ, મેગેઝિન અને દારૂગોળો મળી આવ્યો છે.

https://twitter.com/ANI/status/1448987655539073025?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1448995408907100161%7Ctwgr%5E%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Frevenge-taken-by-the-indian-army-trf-terrorist-shot-dead-in-pulwama