Home News વડાપ્રધાન મોદીએ દિવાળીના પર્વ તહેવારની દેશવાસીઓને આપી શુભકામનાઓ

વડાપ્રધાન મોદીએ દિવાળીના પર્વ તહેવારની દેશવાસીઓને આપી શુભકામનાઓ

Face Of Nation, 04-11-2021: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ગુરુવારે સવારે પોતાના ટ્વિટ સંદેશમાં પીએમ નરેન્દ્ર મોદી એ લખ્યું, ‘દિપાવલીના શુભ અવસર પર દેશવાસીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે 5 નવેમ્બર એટલે કે દિવાળીના બીજા દિવસે કેદારનાથની મુલાકાતે જવાના છે. પીએમ નરેન્દ્ર મોદી કેદારનાથ મંદિરમાં પૂજા કરશે અને આદિ શંકરાચાર્યની સમાધિનું અનાવરણ પણ કરશે. પીએમ મોદી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું પણ અનાવરણ કરશે, જેમને હિંદુ ધર્મને પુનર્જીવિત કરવાનો શ્રેય આપવામાં આવે છે.

નોંધનીય છે કે 2013માં ઉત્તરાખંડમાં થયેલા ભયાનક વિનાશ દરમિયાન આદિ શંકરાચાર્યની સમાધિને નુકસાન થયું હતું અને હવે તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ઉત્તર પ્રદેશ અને અન્ય ત્રણ રાજ્યો તેમજ ઉત્તરાખંડમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)