Home News પાકિસ્તાન દ્વારા ગુજરાતનાં માછીમારની હત્યા મામલે ભારત એક્શનમાં આવ્યું, જાણો શું પગલાં...

પાકિસ્તાન દ્વારા ગુજરાતનાં માછીમારની હત્યા મામલે ભારત એક્શનમાં આવ્યું, જાણો શું પગલાં લીધા

Face Of Nation, 08-11-2021:  ભારતીય માછીમાર પર ગોળી ચલાવવાના મામલામાં ભારતે પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવ્યું છે. આ ઘટનામાં એક ભારતીય માછીમારનું મોત થયું હતું, જ્યારે એકને ઈજા થઈ હતી. આ ઘટના બાદ ગુજરાત પોલીસની ટીમે પાકિસ્તાનના 10 જવાનો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભારતે સમુદ્રી સુરક્ષા એજન્સીના ગોળીબારમાં એક માછીમારના મોતની આકરી નિંદા કરી છે.

ભારતીય માછીમારની હત્યાના મામલામાં ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારત તરફથી પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. ભારતે સમુદ્રી સુરક્ષા એજન્સીની ગોળીબારીમાં માછીમારના મોતની નિંદા પણ કરી છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાની નૌકાદળની આ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે, જ્યારે ગુજરાત પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસના આરોપમાં પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી ના 10 સૈનિકો વિરુદ્ધ FIR નોંધી છે.

જાણકારી પ્રમાણે બે અલગ બોટ પર સવાર દસ અજાણ્યા પીએમએસએ જવાન ભારતીય માછીમારની બોટ પર ગોળીબારી કરવાના આરોપી છે. આ મામલો શનિવારે સાંજનો છે, જેમાં મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતા 32 વર્ષીય ભારતીય માછીમાર શ્રીધર રમેશનું ગોળી લાગવાથી મોત થઈ ગયું હતું. તો દિલીપ સોલંકી નામના એક માછીમારને ઈજા પહોંચી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)