Home Uncategorized અસદુદ્દીન ઓવૈસી કંગના વિવાદમાં બોલ્યા, શું નિવેદનને દેશદ્રોહ માનશે સરકાર

અસદુદ્દીન ઓવૈસી કંગના વિવાદમાં બોલ્યા, શું નિવેદનને દેશદ્રોહ માનશે સરકાર

Face Of Nation, 14-11-2021: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ ચીફ અસદુદ્દીન ઓવૈસી સતત ભાજપ પર હુમલો કરી રહ્યા છે. અલીગઢમાં ‘શોષિત વંચિત સમાજ સંમેલન’ને સંબોધિત કરતા ઓવૈસીએ કંગના રનૌતના 2014 બાદ આઝાદી મળવાના કથિત નિવેદન પર નિશાન સાધ્યું છે.

એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ- પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશને પૂછવા ઈચ્છુ છું કે દેશ 1947માં આઝાદ થયો હતો કે 2014માં? ઓવૈસીએ કહ્યુ- કંગના જેવું નિવેદન મુસલમાને આપ્યું હોત તો તેને ગોળી મારી દેત. હવે મોદી-યોદી કંગનાના નિવેદનને દેશદ્રોહ માનશે? મુસલમાનોને એક થવાનું આહ્વાન કરતા ઓવૈસીએ કહ્યુ- હિન્દુ વોટ ભાજપના થઈ ગયા છે. મુસ્લિમ વોટ તેના માટે કોઈ કિંમત રાખતા નથી.

ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યુ- અમિત શાહને મુસલમાનોનું નામ લીધા વગર નિંદર આવતી નથી. આઝમ ખાને યાદ કરે છે તો અમિત શાહ કાસગંજના અલ્તાફને કેમ યાદ કરી રહ્યા નથી. જો તે હિન્દુ હોત તો યોગી આદિત્યનાથ પહોંચી ગયા હોત. પોલીસકર્મીઓને માત્ર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા પરંતુ તેમના પર હત્યાનો કેસ દાખલ થવો જોઈએ.

ઓવૈસીએ કહ્યુ- હું ભારતના બંધારણના લોકતંત્રને માનુ છું. પરંતુ મુસલમાનોના મતની કોઈ કિંમત નથી, જો હોત તો અમિત શાહ મુસલમાનો પર ટિપ્પણી કરત નહીં. આઝમ ખાન જેલમાં ન હોત. હું ખુબ નારા સાંભળી ચુક્યો છું, આ નારાને મતમાં પરિવર્તિત કરો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)