Home News વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, શિક્ષણ વિભાગ દ્વારા એડમિશન માટે મહત્વનો નિર્ણય લેવાયો

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, શિક્ષણ વિભાગ દ્વારા એડમિશન માટે મહત્વનો નિર્ણય લેવાયો

Face Of Nation, 22-11-2021:  વિદ્યાર્થીઓના હિત માટે નવો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ જાહેરાત કરી કે, ધોરણ 10 માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને પણ ધોરણ 11 માં સાયન્સમાં પ્રવેશ  મળશે. B ગ્રુપમાં પ્રવેશને પાત્ર રહેશે.

આજથી ધોરણ 10ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, અત્યાર સુધી ધોરણ 10 માં ગણિત બેઝકના વિદ્યાર્થી જે રાખે છે, તેમને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મળતો ન હતો. તેથી નિર્ણય લેવાયો કે, તેથી બેઝિક ગણિત રાખનારે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ એટલે કે બી ગ્રૂપમા પ્રવેશ મળશે. બાયોલોજી, ફિઝીક્સ અને કેમેસ્ટ્રીમાં તેઓ પ્રવેશને પાત્ર રહેશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપતા હોય છે. ત્યારે તેમાંથી 1.5 થી 2 લાખ વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની તક મળે તે માટે આ નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. તેથી આ જાહેરાત તેમના કારકિર્દી માટે માઈલસ્ટોન સાબિત થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)