Home News ઉત્તરાખંડમાં પુષ્કર ધામી સરકારની જાહેરાત, દેવસ્થાન બોર્ડનો ભંગ, સંતો સામે ઝૂકી ભાજપ...

ઉત્તરાખંડમાં પુષ્કર ધામી સરકારની જાહેરાત, દેવસ્થાન બોર્ડનો ભંગ, સંતો સામે ઝૂકી ભાજપ સરકાર

Face of Nation 30-11-2021:  ઉત્તરાખંડમાં પુષ્કર ધામી સરકારે દેવસ્થાન  બોર્ડનો ભંગ કર્યો હતો. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પોતે જ તેની અધિકૃત ઘોષણા કરી હતી. સીએમ ધામીએ કહ્યું હતું કે અમારી સરકારે ચાર ધામ દેવસ્થાન પ્રબંધન બોર્ડ બીલ પાસ કરવાનો નિર્ણય કર્યો છે.

દેવસ્થાનમ બોર્ડ એક્ટ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતની સરકારમાં બન્યું હતું. ત્યાર બાદ બે વર્ષ પહેલા દેવસ્થાનમ બોર્ડની સ્થાપનાં કરવામાં આવી હતી. તે ચાર ધામો કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સાથે જોડાયેલ 51 મંદિરોની દેખરેખ કરે છે. પુરોહિત આ બોર્ડના ગઠનનો વિરોધ કરી રહ્યા હતા. તેમનું એવું કહેવાનું હતું કે આ બોર્ડે મંદિરો પર તેમના પરંપરાગત અધિકારોને ખતમ કરી દીધા હતા.

વિધાનસભાની ચૂંટણી પહેલા પણ દેવસ્થાનમ બોર્ડનો મુદ્દો ઘણો ઉઠાવવામાં આવી રહ્યો હતો.
કોંગ્રેસના ચૂંટણી પ્રભારી હરીશ રાવતે પહેલા જ જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસની સરકાર બનશે તો દેવસ્થાનમ બોર્ડને ખતમ કરી દેવામાં આવશે. જેના કારણે પણ ધામી સરકાર પર મોટું દબાણ હતું.

અગાઉ, ઉત્તરાખંડના ચાર ધામના પૂજારીઓના સંગઠને પણ કહ્યું હતું કે તે ચૂંટણીમાં તેઓ 15 ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. આ પૂજારીઓ રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત દેવસ્થાનમ બોર્ડનો વિરોધ કરી રહ્યા હતા. આ માટે, પૂજારીઓએ ચાર ધામ તીર્થ પુરોહિત હક હકુકધારી મહાપંચાયત સમિતિની રચના કરી. સમિતિએ કહ્યું કે તે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. જેના કારણે એક પ્રકારનું પ્રેશર સરકાર પર રચાઇ ગયું હતું(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)