Home News જયપુરમાં ઓમિક્રોન વેરિઅન્ટના 9 કેસ નોંધાતા હડકંપ

જયપુરમાં ઓમિક્રોન વેરિઅન્ટના 9 કેસ નોંધાતા હડકંપ

Face of Nation 05-12-2021: રાજસ્થાનના જયપુરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા છે. દક્ષિણ આફ્રીકાથી પરત આવેલા ચાર લોકો સહિત કુલ 9 લોકો ઓમિક્રોન સંક્રમિત નોંધાયા છે.

આ પહેલા બેંગ્લુરુમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં ઓમિક્રોનનો 1 કેસ નોંધાયો છે. દિલ્હીમાં આજે સવારે ઓમિક્રોન વેરિઅન્ટનો નવો કેસ નોંધાયો હતો. મહારાષ્ટમાં આ પહેલા 1 કેસ નોંધાયો હતો આજે સાત નવા કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 8 કેસ થયા છે. રાજસ્થાનના જયપુરમાં 9 ઓમિક્રોનના કેસ નોંધાતા દેશમાં હાલ ઓમિક્રોન વેરિઅન્ટ કેસની સંખ્યા 21 પર પહોંચી છે.

દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે. કેન્દ્ર સરકાર આ મામલા પર રાજ્યોના સતત સંપર્કમાં છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને કોરોનાના મામલામાં પત્ર લખ્યો હતો અને ચેતવણી આપી હતી. સાથે જ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને રોકવા માટે જરૂરી પગલા ભરવાના નિર્દેશ આપ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો) 

ગુજરાતમાં ‘ઓમિક્રોન’ વાયરસનો બીજો કેસ ? સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ કેસ