Home Uncategorized પાટીદાર અગ્રણી નરેશ પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું, રાજનીતિમાં કરશે એન્ટ્રી!!!

પાટીદાર અગ્રણી નરેશ પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું, રાજનીતિમાં કરશે એન્ટ્રી!!!

Face of Nation 06-12-2021:  પાટીદાર અગ્રણી નરેશ પટેલે રાજનીતિમાં જવાના મોટા સંકેત આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો ફેલાયો છે.

મળતી જાણકારી પ્રમાણે, પાટીદાર સમાજના અગ્રણીઓ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવાના છે. જો કે, ગાંધીનગર ખાતે યોજાનારી બેઠક પહેલા નરેશ પટેલે આડકતરી રીતે રાજનીતિમાં જવાના સંકેત આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.

પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર આગેવાન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, મુદ્દા આધારીત રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પીઢ નેતા ભરતસિંહ સોલંકી સાથે તાજેતરમાં જ થયેલી મુલાકાત અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમારી પ્રવૃત્તિઓ જોઇને ભરતસિંહને થયું હોય કે હું સન્માન માટે હકદાર છું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)