Home Uncategorized ખેડૂત આંદોલન પર સૌથી મોટા સમાચાર, જલદી જ સમાપ્ત કરશે ધરણા

ખેડૂત આંદોલન પર સૌથી મોટા સમાચાર, જલદી જ સમાપ્ત કરશે ધરણા

Face of Nation 07-12-2021: કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોર્ચા તરફથી બનાવવામાં આવેલી પાંચ સભ્યોની કમિટીને તેની બાકી માંગોને લઈને એક લેખિત પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે પહેલાં આંદોલન વાપસીની જાહેરાત કરવામાં આવે અને પછી કેસ પરત લેવાશે, એમએસપીને લઈને કમિટી બનાવવામાં આવશે અને યોગ્ય વળતર ચુકવવામાં આવશે.

સિંધુ બોર્ડર પર સરકારના આ પ્રસ્તાવ પર બે કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી સંયુક્ત કિસાન મોર્ચાની બેઠકમાં ચર્ચા થઈ છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રના પ્રસ્તાવ પર કિસાન નેતાઓ એક નથી. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રના લેખિત પ્રસ્તાવમાં વીજળી સંશોધન બિલ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રનો કોઈ ઉલ્લેખ નથી. પ્રસ્તાવ પર પહેલા તો કિસાન મોર્ચાની પાંચ સભ્યોની કમિટીએ આપસમાં ચર્ચા કરી ત્યારબાદ આ મુદ્દા પર બેઠકમાં વાતચીત થઈ છે.

બેઠકમાં ઘણા કિસાન સંગઠને સરકારના પ્રસ્તાવથી સંતોષ વ્યક્ત કર્યો છે. બેઠકમાંથી બહાર આવ્યા બાદ કિસાન નેતા કુલવંત સંધુએ કહ્યુ કે, બેઠકમાં ઘણી માંગો પર સહમતિ બની છે અને કાલે જાહેરાત થઈ જશે. પરંતુ આ કિસાન મોર્ચાનું સંયુક્ત નિવેદન નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)