Home Uncategorized કેન્દ્ર સરકાર પહેલા જ નીતિશ કુમારે કરી દીધી રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની...

કેન્દ્ર સરકાર પહેલા જ નીતિશ કુમારે કરી દીધી રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની જાહેરાત

Face of Nation 30-12-2021: ભારતમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ઓમક્રોનની એન્ટ્રીથી સરકારની ચિંતા વધી રહી છે અને બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તો સત્તાવાર જાહેરાત કરતા કહ્યુ છે કે, બિહારમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે.

બિહારના મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે ત્યારે લોકો કોરોનાની ગાઈડ લાઈનનુ પાલન કરવુ જોઈએ.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47 મામલાઓ સામે આવ્યા છે.

દરમિયાન કોરોનાની સાથે ઓમિક્રોન વેરિએન્ટના કેસ વધી રહ્યા છે.સૌથી વધારે ઓમિક્રોન કેસ દિલ્હીમાં 268 છે અને મહારાષ્ટ્ર 167 કેસ સાથે બીજા ક્રમે તેમજ ગુજરાત 78 મામલા સાથે ત્રીજા સ્થાને છે.

ઘણા રાજ્યોએ કોરોનાના વધતા કેસને જોતા હવે રાત્રી કરફ્યૂ પણ નાંખી દીધો છે.જોકે બિહાર પહેલુ રાજ્ય છે જેણે સત્તાવાર રીતે કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ હોવાની જાહેરાત કરી દીધી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).