Home News ગુજરાતથી એમ.પી જતી બસનો ધુમ્મ્સના કારણે અકસ્માત, 3 લોકોના મૌત

ગુજરાતથી એમ.પી જતી બસનો ધુમ્મ્સના કારણે અકસ્માત, 3 લોકોના મૌત

Face of Nation 02-01-2022:કાતિલ ઠંડીના ધુમ્મસભર્યાં વાતાવરણમાં વધુ એક અકસ્માત બન્યો છે અને મુસાફરોનો ભોગ લેવાયો છે. છોટાઉદેપુરથી મધ્યપ્રદેશના અલીરાજપુર જતી ખાનગી બસ કોતરમાં ખાબકી હતી. જેમાં 3 મુસાફરોના કમકમાટીભર્યા મોત થયા છે. તેમજ 28 મુસાફરો ઘાયલ થયા છે.

વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં આ અકસ્માત બન્યો હતો. જેમાં બસ પુલની રેલિંગ તોડી કોતરમાં નીચે પડી હતી. ગુજરાતની સરહદથી માત્ર 5 કિલોમીટર દૂર મધ્ય પચ્રદેશમા આંબા ડબેરી પાસે વહેલી સવારે અકસ્માત બન્યો હતો.

ગાઢ ધુમ્મસને કારણે ઘટના બની હોવાની ચર્ચા છે. ઈજાગ્રસ્તોને અલીરાજપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બસને કોતરમાંથી બહાર કાઢવા ચાર ચાર જેસીબી મશીનનો સહારો લેવામાં આવ્યો હતો.

બસમાં 50 જેટલા મુસાફરો હોવાનું અનુમાન છે. જોકે, હાલ પ્રાથમિક તપાસમાં બસના ચાલક અને માલિક વિશે કોઈ માહિતી મળી નથી. ગમખ્વાર અકસ્માત બાદ અલીરાજપુર એસપી અને કલેક્ટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુરથી અલીરાજપુર ગેરકાયદેસર રીતે અનેક ખાનગી બસો દોડે છે. જેમાં ખીચોખીચ ભરીને મુસાફરો જતા હોય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).