Home News PM મોદીની પંજાબમાં રેલી રદ , ભાજપે CM ચન્નીનું માંગ્યું રાજીનામું

PM મોદીની પંજાબમાં રેલી રદ , ભાજપે CM ચન્નીનું માંગ્યું રાજીનામું

Face of Nation 05-01-2022:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બુધવારે પંજાબના ફિરોઝપુરમાં રેલી કરવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ થઈ ગયો. પહેલા રેલી રદ થવા પાછળનું કારણ ખરાબ હવામાન માનવામાં આવતું હતું પરંતુ હવે તેની પાછળ સુરક્ષા કારણોનો હવાલો આપવામાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલય તરફથી આ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને પંજાબ સરકાર પાસે જવાબ પણ માંગવામાં આવ્યો છે. ભાજપે આ મામલે સીએમ ચન્નીનું રાજીનામું પણ માંગ્યું છે. અત્રે જણાવવાનું કે આ વર્ષે પંજાબમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુસાફરી ખુબ મહત્વની મનાઈ રહી હતી.

આ બાજુ ફિરોઝપુર જનસભાને સંબોધિત કરતા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી કોઈ કારણસર સ્થગિત થઈ છે. જો કે તેઓ જલદી ફિરોઝપુરમાં ચૂંટણી રેલી સંબોધિત કરશે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી 42,750 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે પણ સામેલ હતો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).