Home Religion ભગવો લજવ્યો : ધર્મ સત્તા રાજ સત્તાના ચરણે પડી છે, સંતો ભગવાનની...

ભગવો લજવ્યો : ધર્મ સત્તા રાજ સત્તાના ચરણે પડી છે, સંતો ભગવાનની ભક્તિ છોડીને સત્તાની ભક્તિમાં તલ્લીન બનતા જઈ રહ્યા છે

Face of Nation 06-01-2022 : ભાજપની સત્તા બાદ અનેક ઘટનાઓએ આશ્વર્ય સાથે પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે. એવી ઘણી તસવીરો જોઈ હશે કે સંતો રાજનેતાઓ આગળ હાથ જોડીને નતમસ્તકે ઉભા રહે છે. ખરેખર તો આવી તસવીરો જોઈને એમ થાય કે, સાલું આવા ભગવાધારીઓને સંત કે સાધુ કહેવડાવવાનો કોઈ અધિકાર જ નથી. ધર્મની આડ લઈને સમાજને સીધે રસ્તે લઈ જવાની સુફિયાણી વાતોની આડમાં માત્ર ને માત્ર રાજ સત્તાનો પ્રચાર કરનારા સાધુઓ ભગવાની આડમાં છુપાયેલા શૈતાન બરાબર જ છે. તાજેતરમાં અમદાવાદમાં ભવ્ય સંત સંમેલન યોજાયું. આ સંમેલન કોઈ સાધુતાનું સંમેલન નહોતું પરંતુ ભાજપ આશ્રિત અને ભાજપના શરણે રહેલા સાધુઓની તસ્વીર હતી. જે એવું કહેવા માંગતી હતી કે, અમારા અનુયાયીઓ સમજી જાય કે ભાજપ જ આપડી સત્તા છે. આ સંમેલનમાં ભાજપના રાજકીય નેતાઓ અને કેટલાક નિવેદનોએ એ વાતની સાક્ષી પુરી કે ધર્મ સત્તા રાજ સત્તાના ચરણે પડી છે. સંતો આજે ભગવાનની ભક્તિ કરતા ભાજપની ભક્તિ વધુ કરે છે.
પોતાને રામ કથાકાર ગણાવતા મોરારી બાપુએ પણ તેમની વ્યાસપીઠેથી અનેકવાર નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે અને તેમની આગળ હાથ જોડીને ઉભા રહ્યા છે. રાજ સત્તા કરતા ધર્મ સત્તા હંમેશા મહાન અને મોટી છે પરંતુ આજે ચિત્ર ઊંધું છે. ભાજપની ભક્તિમાં તલ્લીન થયેલા ભગવાની આડમાં છુપાયેલા શૈતાનોએ રાજ સત્તાને મહાન બનાવી દીધી છે. સંતોએ તો ખરેખર રાજકીય નિવેદનોથી દૂર જ રહેવું જોઈએ તેમ છતાં કેટલાક સાધુઓ ટ્વીટર, ફેસબુક સહિતની સોશિયલ સાઈટો ઉપર માત્રને માત્ર રાજનેતાઓના જ ગુણગાન ગાયા કરે છે, તેમની સાથેની મુલાકાતોની તસવીરો મૂકે છે. અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સમારોહમાં યોગીશ્રી શેરનાથ બાપુ (જૂનાગઢ), નૌતમ સ્વામી, કથાકાર ગીતાદીદી, પ.પૂ હરિહરાનંદ (ભારતી આશ્રમ, અમદાવાદ), અક્ષરવત્સલ સ્વામી, આચાર્ય અવિચલદાસ મહારાજ, પ.પૂ લલિત કિશોરજી મહારાજ (લીંબડી), પરમાત્માનંદ મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ લોકો સાધુતાના નામે પ્રશ્નાર્થ છે. સાધુ કે સંતની પરિભાષામાં આ લોકો આવે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. છતાં આ તમામના અનુયાયીઓ એટલા છે કે આવાને રાજસત્તા આગળ ઘૂંટણિયે પડી રહેવાનું બળ મળે છે.

સંત સંમેલનમાં અનેક લોકો માસ્ક વિના આવ્યા હતા
આ સંત સંમેલનમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. દરેક વોર્ડના કાઉન્સિલરોને તેમના વોર્ડમાંથી 50થી 100 લોકોને લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. AMTS બસ ભરીને દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ અને લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ્ના ધજાગરા ઉડાવતાં હોય તેમ લોકો માસ્ક વગર ભીડમાં બેઠા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

ભગવો લજવ્યો : ધર્મ સત્તા રાજ સત્તાના ચરણે પડી છે, સંતો ભગવાનની ભક્તિ છોડીને સત્તાની ભક્તિમાં તલ્લીન બનતા જઈ રહ્યા છે