Home Uncategorized મુંબઈ એરપોર્ટ પર એક મોટો અકસ્માત ટળ્યો, ફ્લાઇટને પુશબેક આપનાર ટ્રેક્ટરમાં અચાનક...

મુંબઈ એરપોર્ટ પર એક મોટો અકસ્માત ટળ્યો, ફ્લાઇટને પુશબેક આપનાર ટ્રેક્ટરમાં અચાનક લાગી આગ

Face of Nation 10-01-2022:  સોમવારે મુંબઈ એરપોર્ટ પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈસી-647ને ગતિ આપવા માટે લવાયેલા ટ્રેક્ટરમાં અચાનક આગ ફાટી નીકળતા તંત્ર અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. જેવું ટ્રેક્ટર ફ્લાઈટને પુશ કરવા ગયું કે તરત તેમાં આગ લાગી હતી. સળગી રહેલું ટ્રેક્ટર બરાબર ફ્લાઈટની સામે જ હતું એટલે જો જરા પણ મોડું થયું હોત તો ફ્લાઈટના પ્રવાસીઓ પર તેની અસર પડેત પરંતુ વેળાસર આગ બૂઝાવી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટના વી ૨૬ આર સ્ટેન્ડ પર બની હતી. મુંબઈથી જામનગર જતી ફ્લાઇટને વાહને પુશબેક આપવું પડ્યું હતું. વાહનમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી.

આગ લાગતા જ એરપોર્ટ ઓથોરિટી હરકતમાં આવી હતી અને તાબડતોબ ટ્રેક્ટરની આગની બૂઝાવી દેવાઈ હતી નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હતી કારણ કે જ્યારે આગ લાગી ત્યારે ફ્લાઈટમાં 70થી 80 પ્રવાસીઓ બેઠા હતા.