Home Uncategorized કોરોના કહેર રાજ્યમાં 72 કલાકમાં જ 50 દર્દીના મોત, 5 દિવસ બાદ...

કોરોના કહેર રાજ્યમાં 72 કલાકમાં જ 50 દર્દીના મોત, 5 દિવસ બાદ 16617 નવા કેસ અને 19ના મોત

Face of Nation 23-01-2022: ગુજરાતમાં હવે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસો સ્થિર થવા લાગ્યા છે. રાજ્યમાં 16617 નવા કેસ નોંધાયા છે અને 19 લોકોના મોત થયા છે. આમ 72 કલાકમાં 50ના મોત નોંધાયા છે. જ્યારે 11,636 દર્દી સાજા થયા છે. આ પહેલા 17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા.અમદાવાદમાં 6277, વડોદરામાં 3655, સુરતમાં 2151, રાજકોટમાં 621 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 6, સુરતમાં 4, વલસાડમાં 3, બનાસકાંઠામાં 2, નવસારી, દાહોદ, ભાવનગર શહેર અને મહેસાણામાં 1-1ના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખ 62 હજાર 555ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 249 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 9 લાખ 17 હજાર 469 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 34 હજાર 837 એક્ટિવ કેસ છે, જેમાંથી 258 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 34 હજાર 579 દર્દીની હાલત સ્થિર છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).