Home Gujarat શિવરાત્રી મહાપર્વ દરમિયાન સોમનાથ મંદિર સળંગ 42 કલાક દર્શન માટે ખુલ્લું રહેશે

શિવરાત્રી મહાપર્વ દરમિયાન સોમનાથ મંદિર સળંગ 42 કલાક દર્શન માટે ખુલ્લું રહેશે

Face Of Nation 27-02-2022 : રાજ્યભરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવાનું નક્કી થતાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શિવરાત્રીનું પર્વ ધામધૂમથી ઉજવાશે. જેના માટે સોમનાથ ટ્રસ્ટે તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. આ વર્ષે કોવિડ ગાઈડલાઈનમાં છુટછાટ અપાતા મોટી સંખ્યામાં ભક્તો ભોળિયાનાથના દર્શન માટે આવે તેવી પૂર્ણતઃ સંભાવના સેવાઈ રહી છે.
2 હજાર જેટલા વાહનો પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ તૈયાર
શિવરાત્રી મહાપર્વ દરમિયાન સોમનાથ મંદિર સળંગ 42 કલાક દર્શન માટે ખુલ્લું રહેશે. ચારેય પ્રહરની આરતી, દર્શન અને મહાપૂજા પણ કરવામાં આવશે. આરતી દરમિયાન ભક્તોએ ચાલતા-ચાલતા દર્શન કરવાના રહેશે. પરંતુ આ તમામની વચ્ચે ભક્તોએ કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવું પડશે. મહાશિવરાત્રી પર્વને હવે ગણતરીની કલાકો બાકી છે,ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2 હજાર જેટલા વાહનો પાર્ક થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. વયસ્ક નાગરિકો અને દિવ્યાંગો માટે દર્શનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર તરફ જતો મુખ્ય રસ્તો એક માર્ગીય કરવામાં આવ્યો છે.
શિવરાત્રીને દિવસે સવારે 4.00 કલાકે મંદિરનાં કપાટ ખુલશે
શિવરાત્રીને દિવસે સવારે 4.00 કલાકે મંદિરનાં કપાટ ખુલી જશે. જે સતત 42 કલાક ખુલ્લા રહેશે.તો 4 પ્રહરની આરતી અને મહાપૂજા નિયત સમયે થશે. આ સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ પણ યોજાશે. જે નવા રામ મંદીર ઓડિટોરીયમ ખાતે યોજાશે. જેનું વિવિધ માધ્યમો દ્વારા લાઈવ પ્રસારણ પણ થશે. લોકોએ આ કાર્યક્રમ ઓનલાઈન માણવાનો રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).