Home Uncategorized પાટીદાર સામેના કેસો 23 માર્ચ સુધીમાં પરત નહીં લેવાય તો ફરી આંદોલનની...

પાટીદાર સામેના કેસો 23 માર્ચ સુધીમાં પરત નહીં લેવાય તો ફરી આંદોલનની ચિમકી : અલ્પેશ કથીરિયા

Face Of Nation 06-03-2022 : 23મી માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસો પાછા નહિ ખેંચાય અને શહીદ પાટીદારોના પરિવારજનોને નોકરી આપવામાં સરકાર કામગીરી નહિ કરે તો ફરી આંદોલન ફરીથી શરૂ થશે. આ જાહેરાત પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા દ્વારા કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ પાટીદારો ફરી સક્રિય થયા છે. ત્યારે અમદાવાદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી. જેમાં હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરાયું હતું. ત્યારે હાર્દિકે આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. તેમજ અલ્પેશ કથીરિયાની અધ્યક્ષતામાં જ આંદોલન થશે એ જાહેર કરાયું છે.
વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ પાટીદાર નેતાઓ સક્રિય બન્યા
બીજીબાજુ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે, સમાજના આગેવાન દ્વારા મુખ્યપ્રધાનને વાત કરવામાં આવશે. તેમજ 23મી માર્ચ સુધી માગ ન સંતોષાય તો આંદોલન કરવામાં આવશે. જોકે અલ્પેશ કથીરિયાએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ વખતે કોઈ કેસ ન થાય તેનું ધ્યાન રખાશે. તેમજ હવે નવી કમિટી બનશે તેમાં બિન રાજકીય વ્યક્તિઓ રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).