Home Gujarat પ્રધાનમંત્રી મોદી આગમનને લઈને વિધાનસભામાં શુક્રવારે સત્ર નહીં મળે

પ્રધાનમંત્રી મોદી આગમનને લઈને વિધાનસભામાં શુક્રવારે સત્ર નહીં મળે

Face Of Nation 09-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મીથી બે દિવસના ગુજરાત પ્રવાસને લઈને શુક્રવારે વિધાનસભાનું બજેટસત્ર નહીં મળે. વિધાનસભાની પરંપરા મુજબ શુક્રવારે બજેટની એક જ બેઠક હોય છે. જોકે આ સત્રમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોવાથી શુક્રવારે એક દિવસની રજા રાખવામાં આવશે, જેની જગ્યાએ આગામી 16 માર્ચે મળશે બે બેઠક.
શુક્રવારે વિધાનસભાના બજેટસત્રમાં રજા રાખવામાં આવશે
વિધાનસભાનાં સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી શુક્રવારે, 11મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે આયોજિત સરપંચ સંમેલન કાર્યક્રમમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે. તો બીજી તરફ ભૂપેન્દ્ર પટેલની સરકારનું આખું પ્રતિનિધિમંડળ પણ સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે, જેને કારણે 11 માર્ચના શુક્રવારે વિધાનસભાના બજેટસત્રમાં રજા રાખવામાં આવશે અને ત્યાર બાદ બીજો અને ચોથો શનિ-રવિ હોવાથી સરકારી કામકાજમાં પણ રજા રહેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).