Home Uncategorized કોરોના મહામારી પૂરી થઈ છે તેવું માનવું ગંભીર ભૂલ હશે, મહામારીને 2...

કોરોના મહામારી પૂરી થઈ છે તેવું માનવું ગંભીર ભૂલ હશે, મહામારીને 2 વર્ષ પૂરા થયા : એન્ટોનિયો ગુટરેસ

Face Of Nation 09-03-2022 : કોરોના મહામારીને બે વર્ષ પૂર્ણ થયા છે. લોકોના મનમાંથી પણ કોરોનાનો ખૌફ જતો રહ્યો છે અને લોકો પહેલાની જેમ જીવન વીતાવવા લાગ્યા છે ત્યારે હવે સંયુક્ત રાષ્ટ્રસંઘના વડાએ કોરોના મહામારીને લઈને એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના ચીફ એન્ટોનિયો ગુટરેસે બુધવારે ચેતવણી આપી કે કોરોના મહામારી પૂરી થઈ છે તેવું માનવું ગંભીર ભૂલ હશે. તેમણે કહ્યું કે, દુનિયામાં 30 લાખથી વધુ લોકો કોરોના વેક્સિનના પહેલા ડોઝની પ્રતિક્ષામાં છે.
દુનિયામાં મહામારી કન્ટ્રોલમાં પણ પૂરી થઈ નથી
તેમણે કહ્યું કે, જાહેર હેલ્થ સેક્ટરમાં અભૂતપૂર્વ પગલાં અને ઝડપી ગતિએ વેક્સિન આવી જતા દુનિયાના ઘણા વિસ્તારોમાં મહામારી કાબૂમાં આવી હતી, તેમ છતાં પણ મહામારી પૂરી થઈ છે. તેવું માનવું ગંભીર ભૂલ ગણાશે. તો બીજીતરફ કોરોના મહામારીને આજે 2 વર્ષ પુરા થયા છે અને આ અવસરે યુએન ચીફે દુનિયાને ગંભીર ચેતવણી આપી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).