Home Politics પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 6.30 વાગે BJP હેડક્વાર્ટરથી કાર્યકર્તાઓને કરશે સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 6.30 વાગે BJP હેડક્વાર્ટરથી કાર્યકર્તાઓને કરશે સંબોધન

Face Of Nation 10-03-2022 : વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપના શાનદાર પ્રદર્શનની ઉજવણી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયની મુલાકાત લેશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ભાજપ સત્તાને ફરી એકવાર પુન:સ્થાપિત કરવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ભાજપ માટે આ કોઈ મોટા કરિશ્માથી ઓછું નથી. કારણ કે યુપીમાં ફરીથી સત્તામાં આવવાને 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં પણ ભાજપ આગળ છે.
પ્રધાનમંત્રી સાંજે 6.30 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રધાનમંત્રી સાંજે 6.30 વાગ્યે દિલ્હી બીજેપી હેડક્વાર્ટર પહોંચશે. પ્રધાનમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દિલ્હીમાં બીજેપીનું મુખ્યાલય દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર આવેલું છે. એવું કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી મોદી આ દરમિયાન ભાજપના મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).