Home World પ્રધાનમંત્રીનું સૂચન : ભારત સરકારે યુક્રેનમાં આવેલી ‘ઈન્ડિયન એમ્બેસી’ને અસ્થાયી રીતે પોલેન્ટમાં...

પ્રધાનમંત્રીનું સૂચન : ભારત સરકારે યુક્રેનમાં આવેલી ‘ઈન્ડિયન એમ્બેસી’ને અસ્થાયી રીતે પોલેન્ટમાં શિફ્ટ કરાઈ

Face Of Nation 13-03-2022 : રશિયા-યુક્રેન જંગ વચ્ચે ભારત સરકારે યુક્રેનમાં આવેલી ઈન્ડિયન એમ્બેસીને અસ્થાયી રીતે પોલેન્ટમાં શિફ્ટ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે યુક્રેનના પશ્ચિમી વિસ્તારમાં બગડતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
પ્રધાનમંત્રી મોદીની હાઈલેવલની મીટિંગ
યુક્રેન-રશિયા જંગના કારણે જે સ્થિતિ ઊભી થઈ છે તેને લઈને પ્રધાનમંત્રી મોદીએ રવિવારે હાઈલેવલ મીટિંગ કરી. જેમાં ભારતની સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. સાથે જ હાલના ગ્લોબલ સિનારિયો અંગે ચર્ચા થઈ. આ દરમિયાન પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યા કે ખાર્કિવમાં માર્યા ગયેલા ભારતીય નવીન શેખરપ્પાનો મૃતદેહ સ્વદેશ લાવવા માટે પણ તમામ પ્રયાસ કરવામાં આવે. સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં પ્રધાનમંત્રીને ડિફેન્સ મશીનરીમાં યુઝ થઈ રહેલી ટેકનિક અંગે જાણકારી લીધી. પ્રધાનમંત્રીએ આ દરમિયાન પૂછ્યું કે કઈ કઈ મશીનરીમાં વિદેશી સામાનનો ઉપયોગ થઈ રહ્યો છે? તો બેઠકમાં પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યાં કે લેટેસ્ટ ટેક્નોલોજીથી તમામ ઉપકરણોને જોડવામાં આવે અને પ્રયાસ કરાય કે મેક્સિમમ ટેક્નોલોજી મેક ઈન ઈન્ડિયા હોય.
17,000થી વધુ લોકોને ભારત લાવવામાં આવ્યા
ઓપરેશન ગંગા દરમિયાન ભારતે યુક્રેનથી અત્યાર સુધીમાં 17,000થી વધુ લોકોને રેસ્ક્યૂ કર્યા છે. સાથે જ નેપાળ અને બાંગ્લાદેશના પણ કેટલાંક લોકોને રેસ્ક્યૂ કરી યુક્રેનથી લાવવામાં આવ્યા છે. સરકારે ઓપરેશન ગંગના સફળ બનાવવા માટે પોતાના ચાર મંત્રીઓને પણ યુક્રેનની સરહદ સાથે સંલગ્ન દેશમાં મોકલ્યા હતા.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).