Home Gujarat ભક્તોમાં ખુશી; કેમ્પ હનુમાનજીનું મંદિર મંગળવાર અને શનિવારે સવારે 8થી રાત્રે 11...

ભક્તોમાં ખુશી; કેમ્પ હનુમાનજીનું મંદિર મંગળવાર અને શનિવારે સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

Face Of Nation 15-03-2022 : અમદાવાદમાં શાહીબાગ આર્મી કેન્ટોમેન્ટ વિસ્તારના કેમ્પ હનુમાન મંદિરના દર્શનાર્થીઓ માટે દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. કેટલાક શ્રધ્ધાળુઓએ સમય વધારવા અને પ્રસાદ વિતરણ કરવા અભિયાન હાથ ધર્યું હતું. જે અંતર્ગત મંદિરના ટ્રસ્ટીઓ અને આર્મી કેન્ટોનમેન્ટ બોર્ડને રજૂઆત કરી હતી. શ્રદ્ધાળુઓનું કહેવું હતું કે, કોરોના કેસ ઘટતા મંદિરોમાં ઉત્સવ શરૂ થઇ ગયા છે. માત્ર કેમ્પ હનુમાન મંદિરમાં જ સમય મર્યાદા વધારવામાં આવતી નથી.
અન્ય દિવસોમાં સવારે 8થી રાત્રિના 8 વાગ્યા સુધીનો રહેશે
મંદિર ટ્રસ્ટ બોર્ડના સભ્ય સુધીર નાણાવટીએ અગાઉ કહ્યું હતું કે આગામી ટ્રસ્ટની બેઠકમાં સમય વધારવાનો નિર્ણય કરાશે. પરંતુ હવે મંગળવાર અને શનિવારે શ્રદ્ધાળુઓ માટે દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. મંગળવાર અને શનિવારે હનુમાનજી દાદાના દર્શન માટેનો સમય સવારે 8.00 થી રાત્રે 11.00 વાગ્યા સુધીનો રહેશે તે સિવાયના દિવસોમાં સવારે 8.00 થી રાત્રિના 8 વાગ્યા સુધીનો રહેશે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).