Home Religion અંબાજી, સોમનાથ, દ્વારકા અને બહુચરાજી મંદિરને છેલ્લાં 2 વર્ષમાં દાન સ્વરૂપે અંદાજે...

અંબાજી, સોમનાથ, દ્વારકા અને બહુચરાજી મંદિરને છેલ્લાં 2 વર્ષમાં દાન સ્વરૂપે અંદાજે રૂ.164 કરોડ મળ્યાં!

Face Of Nation 16-03-2022 : રાજ્યના અંબાજી, સોમનાથ, દ્વારકા અને બહુચરાજી મંદિરને છેલ્લા બે વર્ષમાં દાન સ્વરૂપે અંદાજે રૂ.164 કરોડ મળ્યા છે. અંબાજીમાંથી 2021માં 31 કરોડ, 2020માં 35 કરોડનું દાન મળ્યું છે. એ જ રીતે સોમનાથમાંથી 2020માં 35 કરોડ અને 2021માં 41 કરોડ દાન મળ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે, મંદિરોને મળતા દાનના કરોડો રૂપિયાનો ઉપયોગ હિન્દુ સમાજ માટે કરવામાં આવે તેવો કાયદો હોવો જોઈએ. આ કાયદો દેશભરના મંદિરોને લાગુ પાડવાની જરૂર છે.
માત્ર 2 ટકા ચેરિટી ટ્રસ્ટને મળે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર દાનમાં મળતા આ કરોડો રૂપિયાનો વહીવટ પણ સીધી કે આડકતરી રીતે સરકાર જ કરતી હોય છે. દ્વારકાના જગત મંદિરને મળતા દાનમાંથી 80 ટકા હિસ્સો પૂજારીના પરિવારોને ભાગે આવતો હોય છે. જ્યારે લગભગ 15થી 20 ટકા હિસ્સો મંદિરનો વહીવટ કરતી દેવસ્થાન સમિતિના ભાગે આવે છે. માત્ર 2 ટકા ચેરિટી ટ્રસ્ટને મળે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).