Home Politics ગુજરાતની વિધાનસભાનું રણશિંગું ફૂંકવા માટે અમદાવાદથી કેજરીવાલ રોડથી શરૂઆત કરશે

ગુજરાતની વિધાનસભાનું રણશિંગું ફૂંકવા માટે અમદાવાદથી કેજરીવાલ રોડથી શરૂઆત કરશે

Face Of Nation 16-03-2022 :  અરવિંદ કેજરીવાલની પંજાબમાં જીત મેળવ્યા બાદ નજર મોદીના ગઢમાં એટલે કે, ગુજરાતની વિધાનસભાની ચૂંટણી ઉપર છે. એપ્રિલ મહિનાના પહેલા વીકમાં કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં અમદાવાદ ખાતે આવે તેવી શક્યતાઓ છે. દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી એક સાથે રોડ શોમાં ભાગ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની વિધાનસભાનું રણશિંગું ફૂંકવા માટે અમદાવાદથી કેજરીવાલ રોડથી શરૂઆત કરશે. સમગ્ર રાજ્યમાં કેજરીવાલ પંજાબમાં મળેલી જીતનું પુનરાવર્તન કરવા માટે ગુજરાત માટેની રણનીતિ નક્કી કરી લીધી છે. જે મુદ્દાઓ પંજાબમાં આપે ઉઠાવ્યા હતાં. તે જ મુદ્દાઓ ગુજરાતમાં પણ ઉઠાવશે.
તમામ પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગશે
દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ગુજરાત વિધાસનભાની ચૂંટણી માટે દરેક પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતા બાદ કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં પ્રાણ ફૂંકાયો છે. ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંકવા માટે આમ આદમી પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપને તમામ મોરચે લડત આપવા માટે આમ આદમી પાર્ટી પોતાની સેના તૈયાર કરી રહી છે. સોશિયલ મીડિયાથી લઇને બૂથ લેવલ સુધી હજારો કાર્યકર્તાઓને ઉભા કરવાની ગણતરી શરૂ કરી છે. સંગઠનને મજબૂત કરીને સામાન્ય પ્રજા સુધી તેમને સ્પર્શતા મુદ્દાઓ થકી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે.એપ્રિલમાં આપ સુપ્રિમો કેજરીવાલ અમદાવાદમાં સભા ગજવે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).