Home Gujarat ગુજરાતમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, રાજયમાં રિકવરી દર 99.08% પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, રાજયમાં રિકવરી દર 99.08% પર પહોંચ્યો

Face Of Nation 23-03-2022 : ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં 23 માર્ચના રોજ કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી નવા 25 દર્દીઓ સાજા થયા છે..તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12, 565 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 08 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 299 છે. જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 297 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 8, વડોદરામાં 4 , રાજકોટમાં 2, વડોદરા ગ્રામીણમાં 2 કેસ નોંધાયા છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).