Home Religion રાજકોટ એરપોર્ટ પર 27મી માર્ચથી દરરોજ 12 વિમાનોનું થશે આવાગમન; 300થી વધુ...

રાજકોટ એરપોર્ટ પર 27મી માર્ચથી દરરોજ 12 વિમાનોનું થશે આવાગમન; 300થી વધુ CISF જવાનો રહેશે બંદોબસ્તમાં?

Face Of Nation 24-03-2022 : રાજકોટ-મુંબઇ વચ્ચે સ્પાઇસ જેટ વધુ એક ફ્લાઇટ ઓપરેટ કરશે. 27મી માર્ચથી સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ વચ્ચેની ફ્લાઇટ શરૂ થશે, ત્યારે ઉનાળુ વેકેશનને પગલે આગામી 27 માર્ચથી રાજકોટ એરપોર્ટ પર દૈનિક 12થી વધુ ફલાઈટોનું આવાગમન થવાનું છે. જેથી 300થી વધુ CISFના જવાનો એરપોર્ટની સુરક્ષામાં તેમજ ચેકિંગના કામકાજમાં બંદોબસ્તમાં રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. 28 માર્ચે દિલ્હીથી સુરક્ષા વિભાગના અધિકારીઓ પણ સમીક્ષા બેઠક કરશે.
કોરોના કાળમાં બંધ કરાયેલી ફ્લાઈટો શરૂ 
રાજકોટથી હવાઇ મુસાફરી કરનારા લોકો માટે આનંદના સમાચાર એ છે કે રાજકોટ-મુંબઇ વચ્ચે સ્પાઇસ જેટ વધુ એક ફ્લાઇટ ઓપરેટ કરશે. 27મી માર્ચથી સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ વચ્ચેની ફ્લાઇટ શરૂ થશે. બપોરે 3-30 કલાકે મુંબઇથી અને સાંજે 5 વાગ્યે રાજકોટથી ઉડાન ભરશે. રાજકોટથી મુંબઇ જનારા મુસાફરોને ધ્યાને રાખી નવી ફ્લાઇટ શરૂ કરાઇ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).