Home Politics વિધાનસભા; ગુજરાત સરકારે 500 મંદિર તોડ્યા છે પણ ગેરકાયદે ઝીંગા ફાર્મ ધમધમી...

વિધાનસભા; ગુજરાત સરકારે 500 મંદિર તોડ્યા છે પણ ગેરકાયદે ઝીંગા ફાર્મ ધમધમી રહ્યા છે : પરેશ ધાનાણી

Face Of Nation 28-03-2022 :  વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું નિવેદન આપતા કહ્યું હતું કે, રાજ્યમાં સરકારે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યા છે જે દબાણમાં આવતા હતા. પણ રાજ્યમાં ઝીંગા ફાર્મના ગેરકાયદેસર દબાણ દૂર કેમ કરવામાં આવતા નથી અને સાથે જ સવાલ પણ કર્યો હતો કે સરકારને ઝીંગા ફાર્મમાં શુ રસ છે તે જવાબ આપે. તો બીજીતરફ વિધાનસભા ગૃહની કાર્યવાહી 12 વાગે શરૂ થઈ હતી. જેમાં પ્રથમ એક કલાકમાં પ્રશ્નોતરી પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન મહેસુલ વિભાગ, કૃષિ વિભાગ, ગ્રામ વિકાસના પ્રશ્નો પર ચર્ચા થઈ છે. આ સિવાય વન વિભાગ, પર્યાવરણ વિભાગ તથા સામાજિક ન્યાય વિભાગની પૂરક માંગણીઓ વિપક્ષે સરકારને મૂંઝવતા મુદ્દાઓની પ્રશ્નોતરી કરી હતી. આ વખતનું બજેટ સત્રમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઈ રહી છે અલગ અલગ મુદ્દે સરકારને ઘેરવામાં પ્રયાસો કરી રહી છે ત્યારે આજે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગેરકાયદે ઝીંગા ફાર્મ મુદ્દો ઉછળતા સરકાર પર કટાક્ષ કર્યો હતો કે અત્યાર સુધીમાં 500 મંદિર તોડ્યા છે પણ ગેરકાયદે ઝીંગા ફાર્મ ધમધમી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).