Home Politics ‘આપ’ના 2 મુખ્યમંત્રી 2 દિવસ ગુજરાતની મુલાકાત લેશે; બીજી એપ્રિલે રોડ-શો અને...

‘આપ’ના 2 મુખ્યમંત્રી 2 દિવસ ગુજરાતની મુલાકાત લેશે; બીજી એપ્રિલે રોડ-શો અને ત્રીજીએ બંધ બારણે કરશે બેઠકો!

Face Of Nation 29-03-2022 : પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીની હવે ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી પર નજર છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બીજી અને ત્રીજી એપ્રિલ એમ બે દિવસ ગુજરાત આવશે. બે દિવસ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ગુજરાતની ચૂંટણી અંગેની રણનીતિ અને ચર્ચા કરશે.2 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજશે. નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજ સરદાર મોલ સુધી 2 કિલોમીટર સુધીનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં ગુજરાતના આમ આદમીના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે. ત્રીજી એપ્રિલના રોજ અમદાવાદમાં જ ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના ગુજરાતના મુખ્ય નેતાઓ સાથે બેઠકો કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).