Home News 24 કલાકમાં 2 સરકારી કર્મીની હત્યા; કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સંડોવાયેલા...

24 કલાકમાં 2 સરકારી કર્મીની હત્યા; કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સંડોવાયેલા 3 આતંકવાદીઓને સુરક્ષાદળોએ 24 કલાકમાં ઠાર કરી લીધો બદલો!

Face Of Nation 13-05-2022 : કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સંડોવાયેલા ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ 24 કલાકમાં ઠાર કરી બદલો લીધો છે. ઠાર કરાયેલા ત્રણ આતંકવાદી પૈકી એકની ઓળખ ગુલઝાર અહેમદ તરીકે થઈ છે.બીજી બાજુ કાશ્મીરી પંડિતોમાં સતત આતંકવાદના નિશાન બનાવવામાં આવતા ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ટાર્ગેટ કિલિંગના વિરોધમાં 350 સરકારી કર્મચારીઓએ સાથે રાજીનામા આપી દીધા છે.
કાશ્મીરમાં 24 કલાકમાં બે સરકારી કર્મચારીની હત્યા
કાશ્મીરમાં 24 કલાકમાં હત્યાની બે ઘટના સામે આવી. ગુરુવારે કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા કરવામાં આવી હતી. શુક્રવારે પુલવામાના ગુદુરામાં આતંકવાદીએ SPO રિયાઝ અહેદમ થોકર પર આડેધડ ફાયરિંગ કર્યું હતું, જેને પગલે હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. DIG દક્ષિણ કાશ્મીર રેન્જના અબ્દુલ જબ્બારે જણાવ્યું હતું કે રિયાઝ રજા પર હતો અને તેના બાળકોની સ્કૂલ બસની રાહ જોતો હતો તે સમયે બે અપરિચિત વ્યક્તિ બાઈક પર આવ્યા અને તેની ઉપર ફાયરિંગ કર્યું હતું.
ગુરુવારથી તપાસ અભિયાન ચાલતુ હતું
ગુરુવારે આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ચડૂરા તાલુકાની ઓફિસમાં ઘુસીને ક્લર્ક રાહુલ પર ધડાધડ ગોળીઓ વરસાવી હત્યા કરી નાંખી હતી. રાહુલે હોસ્પિલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઘટના બાદ ઘાટીમાં વ્યાપક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસ અને સુરક્ષાદળોની ટીમને મળેલી માહિતી પ્રમાણે બાંદીપોરાના બરાર વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છૂપાયેલા છે. શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ ઘટનામાં રાહુલની હત્યામાં સંડોવાયેલા ત્રણેય આતંકવાદીને ઠાર કરીને બદલો લીધો છે.
કાશ્મીરી પંડિતોએ ઉપરાજ્યપાલને રાજીનામા મોકલ્યા
​​​​​​​રાહુલ ભટ્ટની હત્યાને લઈ કાશ્મીરી પંડિતોમાં ભારે આક્રોશ છે. હત્યાના વિરોધમાં શુક્રવારે 350 સરકારી કર્મચારીઓએ રાજીનામા આપી દીધા છે. કર્મચારીઓએ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને તેમનું રાજીનામુ આપી દીધુ છે. તમામ કાશ્મીરી પંડિતો પ્રધાનમંત્રી પેકેજના કર્મચારી છે. આ લોકોનું કહેવું છે કે ઘાટીમાં કાશ્મીરી પંડિતો સુરક્ષિત નથી. દરરોજ આતંકવાદીઓની ઉધ્ધતાઈ જોવા મળે છે. સરકાર કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે ખાતરી તો આપે છે, પણ તે જમીની લેવલ પર દેખાતી નથી. આ સંજોગોમાં અમે કાશ્મીરમાં અસુરક્ષાનો અહેસાસ કરી રહ્યા છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).