Home Gujarat ગુજરાતમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા, સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં; 6ઠ્ઠા...

ગુજરાતમાં કોરોનાના 35 નવા કેસ નોંધાયા, સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં; 6ઠ્ઠા દિવસે શૂન્ય મોત!

Face Of Nation 13-05-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 નવા કેસ નોંધાયા છે અને 12 દર્દી સાજા થયા છે. સતત છઠ્ઠા દિવસે રાજ્યમાં દૈનિક મૃત્યુ આંક શૂન્ય રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 23 નવા કેસ નોંધાયા છે. એ સિવાય વડોદરા શહેરમાં 7, ખેડા જિલ્લામાં 2, સુરત શહેર તથા ગાંધીનગર અને વડોદાર જિલ્લામાં 1-1 એમ રાજ્યમાં કુલ 35 કેસ નોંધાયા છે. તો આજે 30 જિલ્લા અને 5 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.09 ટકા પર સ્થિર રહ્યો છે. 3 શહેર અને 3 જિલ્લામાં કેસ નોંધાયા છે. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 630ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 502 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 211 એક્ટિવ કેસ છે, 2 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 209 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).