Home News એન્જિનમાં વિસ્ફોટ; જમ્મુથી કટરા જતી બસમાં આગ લાગતા 4ના મોત, 22 મુસાફરો...

એન્જિનમાં વિસ્ફોટ; જમ્મુથી કટરા જતી બસમાં આગ લાગતા 4ના મોત, 22 મુસાફરો દાઝ્યા, 3 વધુ ગંભીર!

Face Of Nation 13-05-2022 : જમ્મુ-કાશ્મીરના કટરામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસમાં આગ લાગી હતી. આ આગમાં ઘટના સ્થળ પર જ ચાર લોકોના મોત થયા હતા. કટરાથી જમ્મુ જઈ રહેલી લોકલ બસ કટરાથી દોઢ કિલોમીટર દૂર ખરમાલ પાસે આગ લાગી હતી. આગ બસના એન્જિન એરિયાથી શરૂ થઈ હતી અને થોડીવાર જ આખી બસને લપેટલમાં લઈ લીધી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 22 ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ કટરા મોકલવામાં આવ્યા છે. જેમાં 3 લોકોની હાલત વધુ ગંભીર હોવાથી તેમને જમ્મુ રીફર કરવામાં આવ્યા છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).